BUSINESS

મોદી સરકારની મોટી જાહેરાત, લેપટોપ-કોમ્પ્યુટરની આયાત પર રોક લગાવવાનો નિર્ણય આ તારીખ સુધી સ્થગિત

હાલમાં જ મોદી સરકાર દ્વારા લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટની આયાત પર અંકુશ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, હવે આ નિર્ણયોને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં, આ નિર્ણય પર સરકારે હાલ પૂરતો રોક લગાવી દીધી છે. આ પ્રતિબંધને કારણે ઈલેક્ટ્રોનિક કંપનીઓ થોડા મહિનાઓ સુધી બહારથી લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટ આયાત કરી શકશે.

લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબ્લેટ

સરકારે લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટની આયાત પર અંકુશ લગાવવાના નિર્ણયને 31 ઓક્ટોબર સુધી મુલતવી રાખ્યો છે. આવી સ્થિતિમાં ઈલેક્ટ્રોનિક કંપનીઓ ત્રણ મહિના માટે લાઇસન્સ વિના આ ઉપકરણોની આયાત કરી શકશે. હવે આ કંપનીઓએ 1 નવેમ્બરથી લેપટોપ અને કોમ્પ્યુટર આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ લેવું પડશે.

સૂચના
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ શુક્રવારે એક આદેશમાં જણાવ્યું હતું કે 3 નવેમ્બરે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન હવે 1 નવેમ્બરથી લાગુ થશે. સરકાર એ પણ સુનિશ્ચિત કરશે કે કંપનીઓને પરિવહનમાં પહેલાથી માલસામાનનો ઓર્ડર આપવામાં કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. સરકારે આ સાધનોની આયાત માટે એક દિવસ અગાઉ લાયસન્સ જરૂરી બનાવી દીધું હતું. યુઝર્સની સુરક્ષા માટે આ ડિવાઈસના હાર્ડવેરમાં રહેલી ખામીઓને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

લાઇસન્સ આધારે આયાત મંજૂરી
જણાવી દઈએ કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. IT મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે લાયસન્સ આધારે આયાતને મંજૂરી આપીને કેન્દ્ર સરકાર એ વાત પર નજર રાખી શકશે કે કયા દેશમાં ઉત્પાદિત લેપટોપ અને ટેબલેટ ભારતમાં આવી રહ્યા છે. આ સુરક્ષાની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરશે. ઉપરાંત, આ પગલું સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે.

YOU MAY LIKE

Related Reads